FDI, કરિયાણાવાળા અને શાકવાળાઓ…
વોલમાર્ટ આવશે તો તમે તેને ‘ખાતામાં લખી દેજો’ કહીને ઉધાર રાખી શકશો નહી (ટ્વિટર પરની કોઈ ટ્વિટ પરથી).
વોલમાર્ટ આવવાથી બીજો તો કોઈ ફરક પડશે નહી એવું મારું મર્યાદિત અર્થશાસ્ત્ર સમજણ આપે છે. શાકવાળા જોડે મગજમારી કરી મરેલું શાક લેવું એના કરતાં મોલમાંથી વીણી-વીણીને સડેલું શાક લેવું એ વધું સારું. મને લાગે છે કે રીટેલ ક્ષેત્રે ફોરેન ઈનવેસ્ટમેન્ટનો વિરોધ તો મોટાભાગે રીલાયન્સ જેવી રીટેલ કંપનીઓ દ્વારા સ્પોન્સર્ડ હોઈ શકે છે. જોઈએ છીએ હવે શું થાય છે. અને શું લાગે છે કે દેશની બધી વસ્તી વોલમાર્ટમાં ખરીદી કરવા દોડી જશે? રીલાયન્સ-હાયપરસીટી-બિગ બજારનું માર્કેટ ત્યાં જશે. એનાથી વધુ કોઈ શક્યતા હું જોતો નથી..






કંઇજ ફરક નથી પડવાનો! ઉલટાનો આપણો કરિયાણા વાળો ઉધાર આપે, ફોન પર ઓર્ડર લે, ફ્રિ હોમ ડીલિવરી આપે – પછી ભલેને તમે ખાલી બે કિલો બટાટા મંગાવ્યા હોય. (મૉલ વાળા તો મિનીમમ અમુક તમુક રકમનું બિલ થાય તોજ હોમ ડીલિવરી આપે). પાંચ રૂ. નું મેગીનું પૅકેટ, શેમ્પુનું સૅશૅ અને પચાસ ગ્રામની ટૂથપેસ્ટની ટ્યૂબ પણ કરિયાણા વાળાને ત્યાંજ મળે. એટલે એમનો ધંધો ક્યારેય બંધ નહિં થાય.
અને રિલાયંસ અને ફ્યુચર ગ્રુપ જેવાને તો ઉલટાનો ફાયદો થશે. Foreign investors આવશેતો થોડો સ્ટેક એમને વેચીને રોકડી કરી શકાય. વોલમાર્ટ જેવા આવશે તો middle men નું પત્તું કપાશે અને efficiency આવશે. ત્યાં લોકોને પેટમાં દુખે છે કારણકે efficiency ની તો આપણને એલર્જી છે ને!
Yash
November 28, 2011 at 8:45 PM
ઓહ અને, IKEA
સુથાર-મિસ્ત્રીઓનો ધંધો
Kartik
November 28, 2011 at 10:53 PM
વોલમાર્ટ આવવાથી મોટામાં મોટું નુકશાન નાના વેપારીઓને થશે. અહીં યુ.કે.માં લગભગ સ્વતંત્ર દુકાનો અદૃશ્ય થઈ ગઈ છે. તેથી નુકશાન એવા વેપારીઓને થશે. આ દેશમાં તો વૈકલ્પિક વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવવાની સાહસિકતા, ગંજી-જાંગીયાની દૂકાન બંધ થઈ ગયા પછી એ જ વોલમાર્ટના લોંજરી વિભાગમાં નોકરી કરવાની તૈયારી, સરકારનું પીઠબળ, વગેરે જેવા પરિબળો ભાગ ભજવી ગયા એટલે ખાસ ફરક પડ્યો નહી, પણ આપણા દેશમાં આ બધીજ વસ્તુઓનો અભાવ છે, અને તેને કારણે મોટી માછલી નદીમાં આવી જતાં નાની માછલીઓ સ્વાહા થઈ જવાની ભિતિ રહે છે. કેમકે આપણી સરકારતો વોલમાર્ટની પાસેથી મળતી કટકીને કારણે ગમે તેવી નીતિઓ ઘડવા તત્પર રહેશે, અને આવા નાના વેપારીઓની સામે કોઈ જોશે નહી. રિલાયન્સ કે બીગ/સ્ટાર બઝાર જેવી કંપનીઓને તો કોઈ ખાસ અસર થવાની નથી.
બીજી વાત કે વોલમાર્ટ ભારતમાં આવશે તો ચાલશે ખરી એ પણ એક સવાલ છે. યુ.એસ.ની ઇલેક્ટ્રોનિક્સ રિટેલ જાયન્ટ બેસ્ટ બાય યુકેમાં નિષ્ફળ રહી અને દોઢેક વર્ષની નબળી કામગીરીને કારણે હવે તેના અમુક સ્ટોર્સ બંધ કરવાની વાતો કરે છે. આમ જો આપણી સરકાર નાના વેપારીઓ અને સ્વતંત્ર ધંધાઓને કોઈ પ્રકારની સુરક્ષા આપવાની બાંહેધરી આપતી હોય તો વોલમાર્ટને આવવા દેવામાં કશું ખોટું નથી.
ધવલ સુ. વ્યાસ
November 28, 2011 at 10:58 PM
યુ.કે.ની વાત અલગ છે કારણકે ત્યાં બધું જ ફોર્મલ સેક્ટર છે. આખો સમાજ ‘શોપિંગ કરીને ખુશ’ થઈને જીવે છે અને મોટાભાગની વસ્તુઓ આયાત કરે છે. એ વાત સાચી છે કે ત્યાં સ્થાનિક ધંધાઓ ભાંગી પડ્યા છે. પણ ભારતમાં અર્થતંત્રનો મોટો હિસ્સો અસંગઠિત ક્ષેત્રમાં આવે છે જે બહુ જ ડાયનેમિક અને ડીમાંડ-ડ્રીવન છે. જ્યાં સુધી સરકાર તેમાં હસ્તક્ષેપ નહિ કરે અને ફેરીયા-લારીવાળાને સુખેથી ધંધો કરવા દેશે ત્યાં સુધી કોઈ મોટી કંપનીઓનો બજાર હિસ્સો બહુ મોટો નહિ હોય. અત્યારે અમદાવાદમાં અનેક મોલ અને સુપર-માર્કેટ છે. શું એ બધા જ ચાલે છે? સરેરાશ માણસ આજે જ રોજ-બરોજની ખરીદી ફેરિયાને નાના વેપારીઓ પાસેથી જ કરે છે.
Rutul Joshi
November 28, 2011 at 11:59 PM
યુકે મોટા ભાગની વસ્તુઓ આયાત કરે છે તે તેની ચોઈસ છે કે કમ્પલ્ઝન તે આપને કદી વિચાર્યું છે? અહીંનો સમાજ ‘શોપિંગ કરીને ખુશ’ થઈને જીવે છે તો ભારતનો સમાજ પણ આ સમાજની રહેણીકરણીથી પ્રભાવિત થઈને તેને જ અનુસરવાના બધા પ્રયત્નો કરી રહ્યો છે. જે વાત આપે કહી તે જ મેં કહી છે કે જો સરકાર આવા જાયન્ટ્સના પૈસાથી પ્રેરાઈને નીતિઓ ફેરીયાઓની વિરુદ્ધમાં નહી ઘડે ત્યાં સુધી વોલમાર્ટ આવે કે વોલમાર્ટનો બાપ, કોઈ ફરક પડવાનો નથી. અને મેં કહ્યું તેમ વોલમાર્ટ આવશે તો ચાલશે કે નહી તે જોવા માટે પણ તો તેના આવવાની રાહ જોવી પડશે ને?
ધવલ સુ. વ્યાસ
November 29, 2011 at 4:06 PM
બહુ ફરક પડવાનો સવાલ નથી. થવા જેવું બધું થઇ જ ચુક્યું છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ચાલે છે, મોટી રીટેઈલ કંપનીઓ પણ હાજર જ છે. એટલે વોલમાર્ટવાળા વિલન અને રિલાયંસવાળા દુધે ધોયેલા એવું તો નથી જ. પણ ગુજરાતમાં આવું કંઈ થાય એવું લાગતું નથી. ગુજરાત સરકારનું આજનું સ્ટેટમેન્ટ કહે છે કે ગુજરાતમાં તેઓ આવું કંઈ થવા દેશે નહિ. આ બહુ વિચિત્ર સ્ટેન્ડ છે.
Rutul Joshi
November 28, 2011 at 11:39 PM
સ્પર્ધાથી સરવાળે તો ગ્રાહકો ને ફાયદો જ છે અને હું ઘણા એવા મિત્ર કુટુંબના પરિચયમાં છું જેમેને સસ્તું નહીં પણ ઉધાર જોઈએ છે. (હિસાબ દર દિવાળીએ!) માટે કંઈ નાના વેપારીઓ સાવ પડી ભાંગશે તેમ નથી લાગતું, તેમ છતાંય એક વ્હેલ આવે એટલે નાની માછલીઓને ફર્ક તો જરૂર પડવાનો.
Chirag Thakkar
November 29, 2011 at 7:21 AM
યાદ હોય તો ઈસ્ટ ઈંડીયા કંપની પણ આ દેશમાં વેપાર અર્થે જ આવેલી અને કાળક્ર્મે દેશ ગુલામીમાં સરી પડેલો ! આજના આ રાજકારણી સત્તાધીશો પોતાના અંગત હિત સાધી જ આવી પરવાનગી આપતા હોય છે તે કેમ ભૂલી જવાય છે ? ઘેર ઘેર અને લતે લતે ફરી શાકભાજી વાળા પાસેથી સ્જાક લેતા લેતા એકાદ ગાજર કે ટમેટું આરોગી જનારા મોલમાં આ કરી શકશે? શાક-ભાજી ઉપર મસાલો મફત આપનારા આ લારી વાળાઓને પરિવારની મહિલાઓ મોલમાં યાદ્કરશે ! ખરીદી કરી પે-મેંટ રોકડમાં કે કાર્ડ્થી કરવા લાઈનમાં ઉભવું પડશે. વણજોતી અનેક ચીજ-વસ્તુઓ આકર્ષક પેકીંગ વડે ઘરમાં ઠલવાતી રહેશે ! અને એક મૂળભુત વાત યુએસ વગેરે દેશોમાં ખરીદેલી ચીજ-વસ્તુઓ જો ખરાબ નીકળે તો કોઈપણ પ્રશ્ન કર્યા સિવાય પરત સ્વીકારવાની મોલને ફરજ પાડવામાં આવે છે જે વિષે સરકારે કોઈ સ્પષ્ટતા કરી ચી ખરી ? આજે અસ્તિત્વમાં જે મોલ છે રીલાયંસ વગેરેમાં પરત લેવાની કોઈ શરત મોલ સ્વીકારતું હોય તેવું જાણવામાં નથી. એક-બે માસની ઉધારીએ વેપારી માલ આપે છે એટલું જ નહિ સાર-માઠા પ્રસંગે પ્રસંગ સચવાય જાય તેટલો માલ-સામાન વિના સંકોચે ઉધારમાં આપતા રહે છે. અને એક ખૂબ જ મૂળભુત વાત મોલમાં વેચાણ કરવા કોઈ વ્યક્તિ હાજર ના હોય એક સીધી વાતચીત અર્થાત ગ્રાહક અને વેપારી વચ્ચે સંવાદ દ્વારા બંધાતો સેતુ ખત્મ થઈ જશે !
અરવિંદ અડાલજા
November 29, 2011 at 9:27 AM
મોલ વગેરે ૩૦ દિવસની અંદર બગડેલી વસ્તુ બદલી આપે છે (અમુક વસ્તુઓ સિવાય). હવે, આમ કરવા જતા કેવો અનુભવ થાય એ વિષય આખો અલગ છે
Kartik
November 29, 2011 at 10:11 AM
મને D-Mart નો positive experiences છે . તે લોકો કોઈ પણ દલીલ વિના માલ પાછો લઇ લે છે.
Chandresh
November 29, 2011 at 12:37 PM
વિરોધ ખરેખર નક્કામો છે કેમ કે મારા ખ્યાલથી અને કાર્તિકભાઈ એ કીધું એ મુજબ આમાં રિલાયન્સ નું ફંડ વપરાઈ રહ્યું હોય તેમ લાગે છે. જો રિલાયન્સ અને બીગ-બજાર જેવા મોલ ખુલી સકતા હોય તે પણ ગમે તેટલી સંખ્યામાં કોઈ પણ શહેરમાં, તો પછી વિદેશી મોલ કેમ નહિ? ભારતમાં સારી સેવા પૂરી પાડવા માટે તેમજ જુનો અને ચાવી ગયેલો માલ પુરા પડતા દેસી મોલને સ્પર્ધા આપવા માટે એફડીઆઈ થવું જ રહ્યું. અને રહી વાત નાના ફેરિયાઓ ની તો એ વાત ભૂલવી ના જોઈએ કે ગ્રાહક જેમાં મારો અને તમારો સમાવેશ થાય છે તે જ બજાર નો રાજા ગણાય અને ગ્રાહક ચાહે તે દુકાનમાં જાય કે મોલમાં જાય. આમ પણ મોલ આવવા થી કોઈ વેપાર પડી ભાંગ્ય નથી એ ના ભૂલવું જોઈએ કે ભારત માં ગામડા માં મોલ નથી આવવાના માત્ર શહેરમાં જ આવવાના છે, એટલે નાના વેપારીઓ જે મોટાભાગે નાના શહેર અને ગામ માં છે તેમને તો કોઈ પણ નુકશાન થવાનું નથી અને શહેર માં વેપાર કરવો હોય તો સારી વસ્તુ અને વ્યાજબી કિંમત હોય તો ગ્રાહકો મળવાના જ છે, એટલે એ માનવું ભૂલભરેલું છે કે મોલ આવવાથી દેસી વેપાર પડી ભાંગશે.
હમઝા
November 29, 2011 at 10:53 AM
આપણે એવું કેવી રીતે કહી શકીએ કે ગામડાઓમાં મોલ આવવાના નથી? દસ વર્ષ પહેલાનું ગામડું અને આજનું ગામડું ઘણું જુદું છે, અને એજ રીતે દસ વર્ષ પછી એજ ગામડું નહી બદલાય એવું કેવી રીતે કહી શકીએ? જ્યારે શહેરોમાં પણ ટેલીફોન પાંખાં હતા ત્યારે કોણે વિચાર્યું હતું કે ગામડાઓમાં ટેલીફોન આવશે? આજે ગામડાઓમાં ડીશ ટીવી, ટેલીફોન, કોમ્પ્યૂટર્સ અને બ્રોડબેન્ડ બધું જ છે. અરે સોસાયટીઓ બની રહી છે તો સુપર માર્કેટ્સ કેટલે દૂર છે?
ધવલ સુ. વ્યાસ
November 29, 2011 at 3:57 PM
પરીવતઁન સંસાર નો નિયમ છે.
Taksh Bhatt
November 30, 2011 at 12:13 AM
જય વસાવડાનો આ વિષય પર સરસ લેખ: http://tinyurl.com/c674qoy
Kartik
November 30, 2011 at 9:13 AM
સુ વોલામાંર્ત આવવાથી મુંબઈ માં ગટર ના પાણી માં ધોયેલા શાકભાજી થી છુટકારો મળશે? અહિયાં તો ગમે તેટલું મોંધુ શાક લઈ એ તો પણ ચોખ્ખું તો ના જ મળે.
Jaykishan Parikh
December 1, 2011 at 9:47 AM
એટલિસ્ટ, અમદાવાદમાં તો ગટરના પાણીમાં ઉગેલા શાકભાજી અને શાકવાળાઓની દાદાગીરીમાંથી છૂટકારો મળે..
Kartik
December 1, 2011 at 10:07 AM
વોલમાર્ટનો ડર નકામો અને પાયા વિહોણો છે.
ભારતના નેતાઓમાં જો ભારતીય જનતાને મુર્ખ બનાવવાની કાબેલીયત છે તો, એ વોલમાર્ટને પણ મુર્ખ બનાવી શકે છે.
અને જો મારી આ વાતમાં વાંધો હોય અને એમ માનતા હોવ કે ભારતની જનતા મુર્ખ નથી તો એ કામ વોલમાર્ટ પણ નહી કરી શકે
કહેવાય છે કે ૨૧મી સદી ભારતની છે એટલે જ સમગ્ર વિશ્વની નજર ભારત પર મંડાયેલી છે, અને નથી ઇચ્છતું કે ભારત ૨૧મી સદી નો અધિપતિ બને એટલે જ કેટલીક નામુરાદ ચાલો રમ્યા કરે છે,
વોલમાર્ટ આવશે, વોલમાર્ટ આવશે, અરે આવવાદો, એને હક છે ભારતમાં પછડાટ ખાવનો, અને રહી વાત કરોડો રૂપિયાની, એ જેટલા લઈ જશે એનાથી દસ ગણા પાછા લાવવાની જન્મજાત આવડત અને કાબેલીયત છે ભારતની ખમીરવંતી જનતામાં
એફ.ડી.આઇ. ને મંજુરી શું મળી અને વોલમાર્ટની પધરામણીના ઢોલ-નગારા શું વાગ્યા કે લોકો એની સરખામણી, ઈસ્ટ ઈંન્ડિયા કંપની સાથે કરવા લાગ્યા કે એ પણ વેપાર કરવા જ આવ્યા હતા ને પછી હિંદુસ્તાન પર રાજ કરી ગયા, જે લોકો એવું કહે છે કે સમજે છે એ લોકો હજું પણ ગુલામી માનસીકતામાંથી બહાર નથી આવ્યા અને હજુ ડરે છે કે પાછા આપણે ગુલામ બની જઇશુ
ગુજરાતીમાં એક કહેવત છે કે “ચેતતા નર સદા સુખી” પરંતુ ચેતવું અને ડરવું એમાં ઘણો તફાવત છે. વોલમાર્ટથી ચેતવાની જરૂર છે, ડરવાની નહી. વોલમાર્ટના આગમન પહેલા જોરશોરથી આપણે જ વોલમાર્ટનું માર્કેટીગ કરી રહ્યા છીએ માટે જ મિત્રો વોલમાર્ટને એટલું મહત્વ આપવાની જરૂર નથી કે એનો ફાયદો વોલમાર્ટ ઉઠાવી જાય એટલે જ કહું છુ વોલમાર્ટથી ચેતવાની જરૂર છે ડરવાની નહી
સમયે હવે કરવટ બદલી છે, અત્યારે દરેક દેશ આર્થીક રીતે ખુંવાર થઇ રહ્યો છે., અને એટલે જ દરેક દેશ ભારત તરફ દિશા અને દ્રષ્ટિ માંડી ને બેઠો છે. ભારત ૨૧મી સદીમાં એક ઉધ્ધારક બનીને બહાર આવશે. અને આ વાતને નકારવી એટલી સરળ તો નથી જ
Mayur
December 2, 2011 at 3:06 PM
MAYURBHAI TAMARIWAT SACHI KE WALLMARTHI LOSS NATHI PAN GULMINA RAJAMA JAVAMATANO YA EK RASTOCHH BAKITO DARAK MANSHUNO VICHAR ALAG ALAG MODHA TATALI WATU BOLWA MALA SHAMBHALAVA MALE MAYURBHAI TAME KOIDEVAS RAJIVBHAI DIXIT SHBHALIYA CHH JO NO SHABHALYA HOY TO MANE KAHEJO HU TAMNE TAMANI 1 DVD MOKLISH BAROBAR SHABHALI ANE VICHARKARI JAWAB APSHO
HARSHAD M MANIYAR
December 4, 2011 at 8:28 PM