इस थप्पड की गूंज सुनाई देगी…..

આજની રીબ્લોગ પોસ્ટ!

મારી રોજનીશી

સુપ્રિમ કોર્ટનો એક ઐતિહાસિક ચૂકાદો અને 122 ટેલીકોમ લાઇસન્સો રદ્દ. લોકો ખુશ થયા કે ચાલો રાજાએ જે ચૂનો લગાવ્યો હતો એમાંથી દેશ કદાચ બચી ગયો. મને પણ થોડી ખુશી થઇ આમ તો આ ચૂકાદાથી પણ પછી વિચારતા લાગ્યું કે આ ચૂકાદો એવો છે કે જેના વિશે કહી શકાય કે "इस थप्पड की गुंज तुम्हे सुनाई देगी…" હવે મને એવું કેમ એમ લાગે છે એ માટે નીચેના કારણો છે.

કુલ 122 ટેલીકોમ લાઇસન્સો રદ્દ થયા. આ ટેલીકોમ લાઇસન્સો ધરાવતી કંપનીઓ પાસે આશરે 11.5 કરોડ ગ્રાહકો છે. હવે જો આ ટેલીકોમ ઓપરેટરોની દુકાન બંધ થઇ જાય તો આ બધાં ગ્રાહકોને નવા ઓપરેટર પાસે જવું પડે અને નવા ઓપરેટર પાસેથી સર્વિસ લેવી પડે. આમ જોવા જઇએ તો આ કોઇ મોટી સમસ્યા નથી પણ ગ્રાહકોને થોડી તકલીફ તો વગર જોઇતી પડવાની જ.

જે ટેલીકોમ કંપનીઓના લાઇસન્સ રદ્દ થયા છે એ કંપનીઓ પર નભતા લોકોનું શું? જેમ કે આ ટેલીકોમ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનું શું?…

View original post 571 more words

7 thoughts on “इस थप्पड की गूंज सुनाई देगी…..

  1. “…આવા વાતાવરણમાં બહારથી કોઇ ભારતમાં શા માટે પોતાના નાંણાનું રોકાણ કરવા આવે?”
    ના, આનાથી ભારતની શાખમાં કોઈ ફેર ના પડવો જોઈએ. ઇન ફેક્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતની વિશ્વનિયતા વધુ દૃઢ થાય, કેમકે ભારતે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પગલા ભર્યા. છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલી મંદી અને બેકારી પાછળ અમેરિકાના સબપ્રાઇમ સેક્ટરમાં થયેલા ગોટાલા જવાબદાર છે. તે સમયે પણ વિદેશી મુડિ રોકાણકારો ને નહાવાનો વારો આવ્યો હતો, પણ શું તેનાથી બજારમાં અમેરિકાની શાખ એક રત્તિભાર પણ ઓછી થઈ? યુ.કે. આજે અધિકૃત રીતે દેવાનો દાસ દેશ છે, પણ શું આંતરરાષ્ટ્રીય બજારમાં પાઉન્ડને કોઇ અસર થઈ? યુ.એસ.એ. અને યુ.કે.એ કટોકટીમાં લીધેલા પગલાને કારણે આજે આ બંને દેશો ટકી રહ્યા છે અને માર્કેટમાં તેમની વેલ્યુ પણ જળવાઈ છે. એમ જ ભારતીય સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાને કારણે ભારતની શાખ વધવી જોઈએ.

    રહ્યો સવાલ એ વિદેશી રોકાણકારોના પૈસા ડુબી જવાનો, તો કોઈપણ મલ્ટીનેશનલ કંપનીની આંતરિક નીતિ હોય છે કે અન્ય દેશોમાં કે સંસ્થાઓમાં નાણાં રોકતા પહેલા તે સંસ્થા, પ્રોજેક્ટ કે ડીલ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી નથી તેની ખાતરી કરી લેવી. પણ આ કંપનીઓ પોતે જ ભારત જેવા દેશોમાં ભ્રષ્ટાચાર ફેલાવવામાં મદદ કરતી હોય છે. માટે, તેમને હાથના કર્યા હૈયે વાગ્યાંના ન્યાયે કોઈ હમદર્દીની જરૂર રહેતી નથી. તેમણે રોકેલા નાણાં એક પ્રકારે તેમનું રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય, જે નિષ્ફળ ગયું.

    Like

  2. આ reblogging કરવા માટે આભાર કાર્તિકભાઈ અને કુણાલભાઈ ને પણ ખુબ ધન્યવાદ.
    પણ અમુક થર્ડ ક્લાસ લેખકો (દા.ત. ઉર્વીશ કોઠારી) હવે સુબ્રમણ્યમ સ્વામી પાછળ પડ્યા છે! ક્યાં ક્યાંથી ભ્રષ્ટાચારને દૂર દૂરથીય લાગે વળગે નહિ એવી વાતો લાવીને સ્વામીના ઈરાદાઓ ઉપર શંકા ફેલાવી રહ્યા છે. આ એજ લોકો છે જેમણે અન્નાના આન્દોલનમાં પણ મૂંઝવણ ફેલાવવાનો પ્રયાસ કર્યો. આ લોકો કોંગ્રેસ પ્રેરિત જમાતના લાગે છે. જો કોંગ્રેસ ના રૂપિયા પર નાચતા નથી એવું માની પણ લઈએ તો પણ ઓછામાં ઓછું આવા લેખકો ગામની પેલી ચુડેલ ડોશીઓ (બધી ડોશીઓ નહિ. ફક્ત કેટલીક ડોશીઓ જે દિવસ-રાત ચોતરા પર બેસીને ફક્ત આની વહુના આની સાથે લફરાં છે અને આના ધણીને આની સાથે, એવા ગંદવાડવાળા વિચારો મોઢામાંથી થુન્ક્યા કરતી)ની જેમ પોતે કંઈજ કરવું નહિ પોતાની કોઈ લાયકાત નહિ અને છતાં ગામમાં કોઈ સારું કામ કરતુ હોય એની ખણખોદ કર્યા કરે એમાંના તો છે જ.
    દેશવાસીઓ આવા લોકોથી સાવધાન રહે એમાંજ એમની ભલાઈ છે.
    દક્ષેશ

    Like

      1. હા હા હા, સાચી વાત કહી કાર્તિકભાઈ તમે. આપણે થોડા પણ તથ્યપૂર્ણ પ્રશ્નો કરીએ એટલે ગભરાટમાં એ અથવા તો કોમેન્ટ ડીલીટ કરી નાખે છે અને/અથવા એમને બધા દેશદ્રોહી કેમ કહે છે એમ કહીને રડવા બેસી જાય છે.
        પણ હવે આપણને કોઈ ‘શંકા’ પણ નથી રહી! હવે તો એમના ઈરાદાઓ ખરાબ હોવાનો વિશ્વાસ છે…
        બીજી બાજુ એમને કોઈ વાંચતું નથી એ સારી બાબત છે 😉 તમે સામાન્ય વ્યાખ્યાઓ પ્રમાણે લેખક નથી છતાં પણ તમારો બ્લોગ આટલો પોપ્યુલર (હવે તો ઓફીસ્યલી ટોપ ટેન ગુજરાતી બ્લોગ્સમાનો એક) છે અને આવા કહેવાતા લેખકો જેઓ વર્ષોથી આ જ ધંધામાં છે તોય કોઈ એમને વાંચતું નથી.
        એટલે કુતરાઓ ભસે રાખે એમાં બહુ ધ્યાન રાખવા જેવું નથી. કારણકે આવા કુતરાઓની વસ્તી ઓછી છે.
        દક્ષેશ

        Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.