* ઉપરનું શીર્ષક કોઇક પોસ્ટ, લેખ કે પુસ્તકમાં વાંચેલું હોય એમ લાગે છે (PS: રજનીભાઇની એક પોસ્ટ પર), પણ જે હોય તે, અત્યારે તે સાચું જ છે. મારા બ્લોગની શરુઆત બક્ષીબાબુના આ દુનિયામાં ગયા પછી થઇ, એ પહેલાં તેમને બહુ વાંચ્યા અને પછી પણ બહુ વાંચ્યા. એમનાં લેખો માટે સમાચારપત્રો બદલ્યા. આખી લાઇબ્રેરી ફેંદી નાખી. જ્યાં-ત્યાંથી જે પણ કંઇ લેખ વાંચવા મળે તે વાંચી લીધા અને જ્યાંથી મળે ત્યાંથી તેમનાં પુસ્તકો વસાવવા શરુ કર્યા. હજી પણ છેલ્લાં અઠવાડિયે મુંબઇ ગયો હતો ત્યારે ગુર્જરની મુલાકાત લઇ બક્ષીબાબુનાં બે ઐતહાસિક પુસ્તકો (અયનવૃત્ત, તવારીખ) મેળવ્યાં અને હજીય એમ થાય કે બક્ષીબાબુ હજી ૧૦૦-૨૦૦ જેટલાં વધુ પુસ્તકો લખીને ગયા હોત તો? 🙂 તો શું? અમને કયા પુસ્તકો વાંચવા એવી મૂંઝવણ તો ન થાત!
આજે રાત્રે બક્ષીબાબુના વિકિપીડિઆ પાનાં પર થોડી ખૂટતી વિગતો ઉમેરવામાં આવશે. એટ લિસ્ટ, આપણે એટલું તો કરી શકીએ.
એક જાહેર અપીલ: જો કોઇએ બક્ષીબાબુનો ફોટો પાડેલો હોય તો વિકિપીડિઆ કોમન્સ પર અપલોડ કરવા વિનંતી. વધુ વિગતો માટે મારો ઓફલાઇન સંપર્ક કરી શકો છો.
અને હા, આજનાં દિવસે પેલાં મેઘદૂત પર્વતવાસીઓએ સરસ પોસ્ટ લખી છે. વાંચવા જેવી. રજનીભાઇએ પણ સરસ પોસ્ટ લખી છે, કોમેન્ટ્સ વગેરે પણ જોવા જેવી છે!