* વિનોદ ભટ્ટે ગઇકાલે એટલે કે ૨૩મી મે એ બધાંને બાય-બાય કર્યું અને ગુજરાતી હાસ્યસાહિત્યનો એક યુગ પૂરો થયો એમ કહી શકાય. વિનોદ ભટ્ટ અને બકુલ ત્રિપાઠી અને અશોક દવે – આ ત્રણ મારા માનીતા હાસ્ય લેખકો છે.
વિનોદ ભટ્ટ એક વખત અકસ્માતે મળી ગયા ત્યારે ઓળખી શક્યો નહોતો (તેઓ સેલ્સ ટેક્સ કે પછી એવા કોઇ વિભાગમાં હતા ત્યારે કોઇ નિમંત્રણ આપવા મામાના ઘરે આવેલા). પછી ખબર પડી કે તેઓ વિનોદ ભટ્ટ હતા!
હવે વિકિપીડિયામાં તેમના લેખમાં વધુ માહિતી ઉમેરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે.